(1) સદગુરુ ચરણ શરણ વિણુ, રઝળ્યો કાળ અનંત ;
એ શ્રી ચરણને હું ભજું, દૂર કરી સવિ તંત ।।
(2) સ્વારથીયા સંસારમાં, કોઇ ન રાખણહાર ;
શરણ એક શ્રીચરણ છે, એ છે તારણહાર ।।
(3) દુઃખ મૂલ અજ્ઞાન છે, સુખ મૂલ એક જ્ઞાન ;
સદ્ ગુરુ સેવાથી મળે, જ્ઞાન ટળે અજ્ઞાન ।।
(4) સદ્ ગુરુ જીવનસાર છે, સદ્ ગુરુ શ્રી ભગવાન ;
શ્રદ્ધા એહવી ઉર વસે, જીવ બને ભગવાન ।।
(5) નહિ દુઃખ અંત ચરણ વિણ, ચરણ વિણ નવિ સુખ ;
દીધી ચરણની ચાકરી, સેવું થઇ સન્મુખ ।।
(6) જય સિદ્ધિ જય બાપજી, મંત્ર જપો ચિત્ત લાય ;
સદ્ ગુરુ નામ સ્મરણથી, સકર પાપમળ જાય ।।
(7) સિદ્ધિસૂરિજી બાપજી, કરુણાના અવતાર ;
આપ કૃપાથી પામીયો, આપ ચરણ શ્રીકાર ।।
(8) રાખજો આપની ગોદમાં, ભવિજનને હિતકાર ;
સેવક અરજ સ્વીકારજો, જીવન પ્રાણ આધાર ।।
(9) દાદા દાદા સમરીએ, શ્વાસ માંહે સો વાર ;
નવ દુહાથી વંદતા, નવ નિધિ વિલસે દ્વાર ।।
બાપજી મહારાજ ની આરતી
ૐ સિદ્ધિસૂરી દાદા (2)
આપ શરણ ભવતારી (2) ભવિ જન દુઃખહારી …..(1)
શ્રુત – જિનભક્તિ કે હો ધારક,
સમતા રસધારી, દાદા સમતા રસધારી
ભવદવ તાપ નિવારક (2) મહિમા અતિભારી ….. (2)
દીર્ઘ સંયમી દીર્ધ તપસ્વી,
આયુ દીર્ઘધારી, દાદા આયુ દીર્ઘ ધારી,
અનુપમયોગી વાત્સલ્યશાળી (2) બાપજી નામધારી… (3)
સાધુ સેવા દિલ મેં ભાઇ,
મણિ આજ્ઞા ધારી, દાદા મણિ આજ્ઞા ધારી,
લબ્ધિ – સિદ્ધિ પ્રગટ પ્રભાવી (2) પરમ બ્રહ્મચારી…. (4)
દીન દયાલુ સિદ્ધિસૂરીજી,
નામ મંગલકારી, દાદા નામ મંગલકારી,
આપ ચરણ હિતકારી (2) સેવે નરનારી ….(5)
પૂજ્ય બાપજી મહારાજા ને ઉપાસવાની રીત
(1) પ્રદક્ષિણા
(2) સ્તુતિગાન – ‘ જસ નામે સિદ્ધિ ‘
(3) ગુરુવંદન
(4) પૂજ્ય બાપજી મહારાજાનું ભક્તિ ગીત ગાવું ‘પ્રણમો વિજય સિદ્ધિસૂરિરાય ‘
(5) ગુરુ ગુણ સત્તાવીસાનો પાઠ ‘ સત્વસિદ્ધ શિરોમણી’
(6) મંત્ર જાપ – નવકાર મહામંત્ર – ‘ૐ શ્રી સિદ્ધિસૂરીશ્વર સદ્ ગુરુભ્યો નમઃ ।।’
(7) આરતીનું પઠન – ‘ૐ સિદ્ધિસૂરી દાદા ‘
ભક્તિભાવ સાથે સંકલ્પપૂર્વક ‘દાદા ‘ ની આરાધના કરવાથી સર્વ વાંછિત પૂર્ણ થાય છે.